– મમતા પડીયા દ્વારા વિશેષ મુલાકાત આપણી સંસ્કૃતિ, ધાર્મિક અને દાર્શનિકતા સાથે જોડાયેલા મૂળિયાનો સૂર એટલે ભારતીય સંગીત. સંગીત એ સાધના છે જેમાં આધ્યાત્મિક, યોગ, ભક્તિ અને દરેક રસનો સાર સમાયેલો છે. સવાર, બપોર, સાંજ અને રાત આ ચારેય પહેરનું સંગીત વળી પાછું અલગ છે, સંગીતને સર્વ સમર્પણ કરનાર મ્યુઝિક […]

લોકસભાની 26પૈકી 15 બેઠકો પર ભાજપે પહેલી યાદી જાહેર કર્યા બાદ હવે બાકીની 11 બેઠકો પર કોણ ઉમેદવાર હશે તેને લઈને ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપની બીજી યાદી માટે 6 માર્ચે કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ આ બેઠકોના સાંસદોને રિપિટ કરાશે […]

અમેરિકામાં હિંદી ભાષાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમેરિકા – કેનેડામાં હિંદી ભાષાનો વિદેશમાં પ્રચાર પ્રસાર વધી રહયો છે. કેટલાક સમયથી હિંદી સરકારી સ્કૂલોમાં વૈશ્વિક ભાષા તરીકે હિંદી શીખવાય છે. કુલ ૧૪૦૦૦ લોકોએ હિંદી શીખ્યા હોવાની જાણકારી મળી રહી છે. કુલ ૧૨ જેટલી યુનિવર્સિટીએ હિંદી વિભાગ શરુ પણ કર્યા છે. […]

સૌરવ ગાંગુલીના બાયોપિકમાં રજનીકાંત કેમિયો કરશે એવી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન રજનીકાંતની દીકરી સૌંદર્યા કરવાની હોવાનું જાણવા મળે છે. રજનીકાંત સાઉથ ઈન્ડિયામાં સુપરસ્ટાર તરીકે ભારે લોકપ્રિય છે. સમગ્ર ભારતમાં પણ તેના લોખ્ખો ફેન છે. સૌંદર્યા દિગ્દર્શીત આ ફિલ્મમાં રજનીકાંત ચોક્કસ કયું પાત્ર ભજવશે તેની સ્પષ્ટતા હજુ થઈ […]

દર વર્ષે 8મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે, નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. ભુજના 70 વર્ષીય નુતનબેન મહેતા હાલ નિવૃત શિક્ષિકા છે, પરંતુ હાલ પણ તેઓ અનેક પ્રવૃત્તિઓથી સાથે જોડાયેલા છે. ઘણી મહિલાઓ માટે […]

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા, કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે, જેમાં વિશ્વભરના સ્ટાર્સ અને ઘણી હસ્તીઓ હાજરી આપી રહી છે. […]

ડિંગુચા માનવ તસ્કરી કેસનાં મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ હર્ષ પટેલે ખુલાસો કર્યો છે કે, લોકોને ગેરકાયદેસર રીતે યુએસએ લઈ જતો પોતે પણ ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. અમેરિકાની શિકાગો પોલીસે માનવ તસ્કરી કેસમાં ધરપકડ કરી હતી. છેલ્લા પાંચ મહિનાથી ભાગતા ફરતા હર્ષ પટેલને લોકો ડર્ટી હેરીના નામે પણ ઓળખે છે. […]

ભારતમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઈને અનેક પાર્ટીઓએ પોતાના ઉમેદવારો પણ જાહેર કર્યા છે, ત્યારે આજે ભાજપ દ્વારા ઉમેદવારોની 195 ઉમેદવાર સાથેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની 15 સીટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના હોવાથી […]

‘ભારતીય વિચાર મંચ’ દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારત (BHARAT Rising) “ભારતીય વિચાર મંચ” દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારત (BHARAT Rising) ના ઉદ્ઘાટન સત્રમાં રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદી, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નિરજા ગુપ્તા સહિત, પ્રજ્ઞા પ્રવાહના કન્વીનર જે. નંદકુમાર ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વિચાર […]

ફિલ્મ નામમાં ચીઠ્ઠી આઈ હૈ ગઝલ ગાવા સાથે ખ્યાતિ પ્રાપ્ત કરનાર પંકજ ઉધાસનું માંદગી બાદ નિધન થયું છે. તેઓ સંગીતકાર ઉપરાંત સફળ અભિનેતા પણ હતા. તેમણે ગુજરાતી-હિન્દી ફિલ્મો, ટેલિવિઝન શોમાં અભિનય કર્યો હતો. બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબ ઉઘાસે પિતાના […]

દ્વારકામાં હજારો વર્ષ પહેલા ડૂબેલી પ્રાચીન દ્વારકા નગરીના દર્શન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી તેમને શ્રદ્ધાસૂમન અર્પણ કર્યા હતા. જેમ લક્ષ્યદ્વીપમાં મોદીએ સ્કૂબા ડાઈવીંગ કર્યું હતું તેવી જ રીતે દ્વારકામં પણ સ્કૂબા ડાઈંવીગ કરી સમદ્રમાં સમાયેલી પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કર્યા હતા. આ સાથે તમણે ત્યાં ભગવાન કૃષ્ણને પ્રિય એવા […]

ભારતીયોને સૌપ્રથમ 1836માં અહીં લઈ જવામાં આવ્યા હતા. આ પછી, ભારતમાંથી બંધાયેલા મજૂરોને ફિજી, જમૈકા,ત્રિનિદાદ, માર્ટીનિક, સુરીનામ અને અન્ય દેશો અથવા ટાપુઓ પર કામ માટે લઈ જવામાં આવ્યા હતા. ભારતમાં 96.63 કરોડ હિંદુઓ છે, જે કુલ વસ્તીના 79 ટકા છે. જો આપણે કુલ વસ્તીની ટકાવારી જોઈએ તો, પાડોશી દેશનેપાળમાં હિંદુઓની […]

શિકાગો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં ચકચાર મચાવનાર ડિંગુચા કેસના આરોપી હર્ષ પટેલની અમેરિકામાં ધરપકડ થતાં ગેરકાયદે રીતે અમેરિકામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને ઘૂસણખોરી કરાવનારા નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર અમેરિકાની પોલીસે શિકાગોના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હર્ષકુમાર રમણલાલ પટેલ ઉર્ફે ડર્ટી હેરી […]

રવિવારે રાજકોટમાં 3200 કરોડથી વધુના કામોની આપશે ભેટ ભારતના વડાપ્રધાન અને અને ગુજરાતના પનોતાપુત્ર ચૂંટણીને પગલે ગુજરાતના અવારનવાર પ્રવાસ કરી રહ્યાં છે. મોદીની ગેરંટી અને જેના ખાતમુહૂર્ત કરવા તે જ કામનું લોકાર્પણ પણ કરવાના આગ્રહી નરેન્દ્ર મોદી રવિવારે રાજકોટના પ્રવાસે છે. તેઓ પહેલા હેલિકોપ્ટર મારફતે એઇમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે. નરેદ્ર […]

ભારતમાં મિસ વર્લ્ડ 2024 સ્પર્ધાની ફાઈનલ મુંબઈમાં યોજાવાની છે. મિસ વર્લ્ડ 2024માં વિવિધ દેશોમાંથી 120 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે અને મિસ સિની શેટ્ટી ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ભારતની સિની શેટ્ટી 2024ની મિસ વર્લ્ડ સ્પર્ધામાં 120 સ્પર્ધકો સાથે સ્પર્ધા કરતી જોવા મળશે. તે ઇન્સ્ટા પર તેના સ્ટાઇલિશ અને ખૂબસૂરત […]

ભારતીય ધનકુબેર મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરશે. આ પહેલા ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન લગ્ન પૂર્વેના અનેક કાર્યક્રમો યોજાશે. જેમાં ભારત સહિત અનેક દેશોના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી જુલાઈમાં મુંબઈમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન […]

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ જોવા મળે છે. નરેન્દ્ર મોદી જ્યારે ઓસ્ટ્રેલિયાના સિડની પહોંચ્યા ત્યારે NRI સમુદાયે ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘મોદી-મોદી’ જેવા નારા લગાવી તેમનુ ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે તેમની લોકપ્રિયતા […]

અમદાવાદમાં વિશ્વનો સૌથી મોટો રીવરફ્રન્ટ આકાર લઇ રહ્યો છે. સાબરમતી રીવરફ્રન્ટ વાસણા બેરેજથી ડફનાળા સુધી તૈયાર છે. ફેઝ-2 અને ફેઝ-3ની કામગીરી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા હાથમાં લેવામાં આવી છે. આમ અમદાવાદનો રીવરફ્રન્ટ હવે ગાંઘીનગર સંત સરોવર સુધી વિસ્તારમાં આવશે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદનો સાબરમતી રીવરફ્રન્ટ વાસણાથી […]

Saturday : 17th/FEB/2023 : આજે શનિવાર ના રોજ ડાઉનટાઉન વેન્કૂવરમાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનના ધ્વજ ફરકાવતા પ્રદર્શનકારીઓએ નિજ્જર હત્યાના  આઠ મહિના બાદ ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કાપ્યો હતો તદુપરાંત તેને સળગાવવા નું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. ઘણા પ્રદર્શનકારીઓએ પંજાબીમાં, લાઉડ સ્પીકર્સ પર ભારત તથા ભારતીય દૂતવાસ પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા […]

દેશભરની કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓના એક પછી એક મૃત્યુની અત્યંત આઘાતજનક ઘટનાએ દક્ષિણ એશિયન સમુદાયને હચમચાવી નાખ્યો છે. આઘાતજનક ઘટનાઓની હારમાળા સર્જાતા એશિયન સમુદાયના વિદ્યાર્થીઓ, લોકો અને તેમના માતાપિતામાં ચિંતાની લહેર પ્રસરી ગઇ છે. માત્ર 2024માં જ ભારતીય અને ભારતીય અમેરિકન મૂળના સાત વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે. કનેક્ટિકટથી ઇન્ડિયાના સુધીના રાજ્યોમાં […]

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓ ઘટી રહ્યાં છે. જેની પાછળ વર્ક વિઝાની ચાલી રહેલી સમીક્ષા તથા સરકારી અનુદાનિત સ્કોલરશીપ પર પરિવારજનોને બોલાવવા પર પ્રતિબંધ સહિતના કારણો જવાબદાર છે. એક આંકડા મુજબ ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ ચાર ટકા ઘટીને ૮૭૭૦ થાયા છે. ભારતીયોનો ધીરે ધીરે હવે વિદેશ જવાનો મોહ ઘટી રહ્યો છે. તેમાં પણ […]

દેશ-વિદેશમાં વસતા સમસગ્ર હિન્દુ સમુદાય માટે 22 જાન્યુઆરી, 2024ની તારીખ અને તવારીખ બાદ હવે આ જ વર્ષની વસંત પણ યાદી રહેશે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ સ્થળે ભવ્ય મંદિરનું નિર્માણ 500 વર્ષના સંઘર્ષ બાદ થયું તેમ આગામી 500 વર્ષ સુધી અખાતના દેશોમાં વસતા હિન્દુ સમુદાયને યાદ રહે એવા […]

પાકિસ્તાનીઓની નાપાક હરકતો અને આરોપો વચ્ચે ભારતીય નૌકા દળે કરેલા શૌર્યપ્રદર્શનને વિશ્વમાંથી પ્રશંસા મળી રહી છે. સમુદ્રમાં પણ ભારતીય નૌકાદળે પોતાનો દબદબો સ્થાપિત કરી દીધો છે. ભારતીય નૌકાદળે સોમાલિયાના 11 ચાંચિયાઓના કબજામાંથી પાકિસ્તાનના 19 નાગરિકોને બચાવ્યા છે. મંગળવારે, ભારતીય નૌકાદળે માહિતી આપી હતી કે તેમના જહાજ સુમિત્રાએ, માછીમારી કરતા પાકિસ્તાનના […]

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પછી, વાયુસેના અધિકારી બનેલા ફિલ્મ નિર્માતા કુશલ શ્રીવાસ્તવ દ્વારા નિર્દેશિત દસ્તાવેજ-શ્રેણી ‘ધ બેટલ ઓફ અયોધ્યા’ રિલીઝ કરવામાં આવી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પછી, વાયુસેના અધિકારીમાંથી ફિલ્મ નિર્માતા બનેલા કુશલ શ્રીવાસ્તવ દ્વારા નિર્દેશિત દસ્તાવેજ-શ્રેણી ‘ધ બેટલ ઓફ અયોધ્યા’ યુટ્યુબ ચેનલ ‘વેદશાલા’ પર રિલીઝ કરવામાં […]

બિહારમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસનું શાસક ગઠબંધન તૂટવાના આરે દેખાઈ રહ્યું છે. બિહારમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસનું શાસક ગઠબંધન તૂટવાના આરે દેખાઈ રહ્યું છે. રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે નીતિશ કુમાર ફરીથી યુ-ટર્ન લઈને NDAમાં સામેલ થશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, નીતિશ કુમાર ભાજપ સાથે હાથ […]

ઐતિહાસિક ધાર્મિક નગરી અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમની માત્ર દેશમાં જ નહીં, વિશ્વભરમાં ઝલક જોવા મળી રહી છે. એક તરફ રામ મંદિરનું ઉદઘાટન લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે, તો બીજીતરફ 85000 કરોડ રૂપિયાના રોકાણથી મેકઓવર ચાલી રહ્યું છે, જેમાં વેપાર, ઉદ્યોગને […]

કેનેડામાં જબરજસ્ત હાઉસિંગ કટોકટી સર્જાઈ છે. કેનેડા સરકાર તેને નિવારવા આવશ્યક પગલાં અને યોજના બનાવી રહી છે. આ સમસ્યાને ઉકેલવા કેનેડાની સરકારે તાત્કાલિક અસરથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષ માટે નિયંત્રણ જાહેર કર્યું છે. જેની સૌથી વધુ અસર ભારતીયોને થશે. કારણ કે, કેનેડામાં અભ્યાસ માટે આવવાનું ભારતીયો સૌથી વધુ […]

વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં માસૂમ બાળકોના મોતથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે બેટ દ્વારકાનો આવો જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક બોટમાં ૩૦૦  જેટલા લોકોને બેસાડવામાં આવ્યા હતા. જે બોટની ક્ષમતા કરતાં ઘણા વધુ હતા. બેટ દ્વારકામાં એક બોટમાં ક્ષમતા કરતાં વધુ 300 જેટલા લોકો બેસાડ્યા […]

ભારતમાં રિપબ્લિક ડે(પ્રજાસત્તાક દિવસ) નિમિત્તે 26મી જાન્યુઆરીની પરેડ ખાસ બની રહેશે. ત્રણેય સેનાના અગ્નવીર સૈનિકો અને મહિલા સૈનિકો પણ પહેલીવાર આ પરેડનો ભાગ બની રહ્યા છે. હંમેશની જેમ ભારતીય વાયુસેના પણ પરેડમાં પોતાની તાકાત બતાવશે. આ વખતે ભારતીય વાયુસેનાના 51 વિમાન ફ્લાયપાસ્ટમાં સામેલ થશે. જેમાં 29 ફાઈટર પ્લેન, 7 ટ્રાન્સપોર્ટ […]

અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામનુ મંદિર બનાવવાનુ કરોડો હિન્દુઓનુ સ્વપ્ન સાકાર થયુ છે. ત્યારે પશ્ચિમી મીડિયાએ કરેલા તેના રિપોર્ટીંગને પગલે ભારે નારાજગી પ્રવર્તી રહી છે. તેની આકરી ટીકાઓ પણ થઇ રહી છે. ભારત વિરોધી સૂર તેમાંથી ઉઠ્યો હોવાથી આવું થઇ રહ્યું છે અને પહેલી પ્રતિક્રિયા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી […]

વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટનામાં નિર્દોષ બાળકો અને શિક્ષિકાનો ભોગ લેવાયા બાદ આ ઘટનાના ઘેરા પડઘાં પડ્યાં છે. આ દુર્ઘટના પાછળ કોટિયા પ્રોજેક્ટસના ભાગીદારો સહિત લેકઝોનના મેનેજર અને બે બોટ ઓપરેટરો મળી કુલ 19 સામે પોલીસે ગુનો નોંધ્યો છે. જેમાં કોટીયા પ્રોજેક્ટસ દ્વારા ડોલફિન એન્ટરટેઇનમેન્ટને પેટા કોન્ટ્રાક આપનાર પરેશ શાહ […]

ભારતના ઈતિહાસમાં 22 જાન્યુઆરી 2024નો આજનો દિવસ અંકિત થઇ ગયો. અયોધ્યામાં રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ સર્જાયો છે. આ ઐતિહાસિક કાર્યના સાક્ષી બનવા માટે  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધન્યતા અનુભવી હતી. ભારતીય પરિધાનમાં જ્યારે હાથમાં છત્ર લઇને પીએમ મોદી રામ દરબારમાં પહોંચ્યા ત્યારે 500 વર્ષ પૂર્વે જોયેલું સપનું સાકાર થતાં […]

વર્ષ 1350માં સ્થપાયેલું અયુથ્યા શહેર એક જમાનામાં વિશાળ સામ્રાજ્યનું પાટનગર હતું. થાઇલૅન્ડના પાટનગર બૅંગકૉકથી 70 કિલોમીટર દૂર આવેલા અયુથ્યા શહેરમાં પગ રાખતાની સાથે જ ત્યાનાં વિશાળ ખંડરો ધ્યાન આકર્ષે છે. શહેરનું નામ અયુથ્યા પણ ભારતના અયોધ્યા સાથે મળતું આવે છે. અયોધ્યા સરયુ નદીને કિનારે તેવી જ રીતે 3500 કિલોમીટર દૂર […]

ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં અયોધ્યામાં રામમંદિરમાં થનારી પ્રાણપ્રતિષ્ઠાના સંદર્ભે નીકળેલી ભગવાન શ્રીરામની રથયાત્રામાં તોફાની તત્વોએ અટકચાળું કરી પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને પગલે ભારે નાસભાગ મચી ગઇ હતી. પોલીસે આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધી જવાબદાર તત્વો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના એટલી ગંભીર હતી કે, પોલીસ કાફલો […]

ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણતા તરફ ધસી રહ્યો છે. ભગવાનના દર્શન માટે અયોધ્યા નગરમાં ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો છે. અયોધ્યામાં અત્યારે ચારે તરફ રામ અને તેના નામ પર કરવામાં આવેલું નિર્માણકાર્ય નજરે પડે છે. રામમંદિર તરફ જતા દરેક રસ્તા પર કાર્ય થઈ રહ્યું છે. કેટલાય કિલોમીટર લાંબા રામપથને એક […]

ભારતમાં શ્રદ્ધાળુઓની ભક્તિને પણ રોકડમાં ફેરવવાની, તેમાંથી નફો કમાવી લેનારા ધુતારાઓની કમી નથી. શ્રદ્ધાના નામે છેતરપીડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભારતમાં ઉત્તરપ્રદેશના અયોધ્યા શહેરમાં રામ મંદિર (Ayodhya Ram Mandir)માં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા (Ayodhya Ram Mandir Pran Pratishtha)ની તૈયારીઓ ચાલી રહી છે. ત્યા રામ ભગવાનના ભક્તોની આસ્થા સાથે […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter

Editor in Chief

Ethan Hunt

Default Mag Pro is a clean, responsive and multi-layout WordPress Magazine or blog theme with a creative and clean look it is perfect for all newspaper, magazines and blog websites. It comes up with a simple yet elegant look and helps you present your content in an attractive and user-friendly way. With its several customization options and custom, widgets help to makes your site setup easy and looks perfect along with its cross-browser compatibility will make your site attractive and eye-catching in any browser and different variations of devices screen size on each and every device. The theme is SEO friendly with optimized code and outstanding support makes your site awesome.

Quick Jump

Newsletter