10 September 2026

બ્રેકિંગ ન્યૂઝ: ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી; બ્રૅમ્પટનના હિન્દુ સભા મંદિરમાં ૧૪ સપ્ટેમ્બરથી લાઇવ ગરબા અને સાંસ્કૃતિક પ્રોગ્રામ્સનો ભવ્ય પ્રારંભ થશે

0

    બ્રૅમ્પટન : બ્રૅમ્પટન અને સમગ્ર જીટીએ (GTA) વિસ્તારમાં વસતા ઇન્ડો-કેનેડિયન સમુદાય માટે આસ્થા, સંગીત અને ઉત્સાહથી સભર એક અત્યંત ખુશીના સમાચાર સામે આવ્યા છે. બ્રૅમ્પટનના પ્રખ્યાત હિન્દુ સભા મંદિર દ્વારા આગામી વાર્ષિક ગણેશ મહોત્સવની જાહેરાત કરવામાં આવી છે. આ ભવ્ય અને દિવ્ય મહોત્સવ સોમવાર, ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થઈને શનિવાર, ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી સતત છ દિવસ સુધી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ છ દિવસ દરમિયાન દરરોજ સાંજે ૬:૦૦ વાગ્યાથી રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી ભક્તિ, ઉત્સવ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ્સની રમઝટ બોલશે. ‘ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન’ તેના હજારો વાચકો સુધી આ સમાચાર પહોંચાડતા અત્યંત આનંદ અને ગૌરવની અનુભૂતિ કરે છે. આ વાર્ષિક ઉત્સવમાં બ્રૅમ્પટન, ગ્રેટર ટ Toronto મિસિસાગા અને દક્ષિણ ઓન્ટેરિયોના ખૂણે-ખૂણેથી હજારો શ્રદ્ધાળુઓ, યુવાનો, વડીલો અને બાળકો એકઠા થશે અને ધાર્મિક આસ્થાની સાથે પોતાની સાંસ્કૃતિક પરંપરાઓને ઉજવશે.

      આ વર્ષના ગણેશ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ સતત છ રાત સુધી ચાલનારા લાઇવ ગરબા રહેવાના છે. ઇન્ડો-કેનેડિયન કમ્યુનિટીમાં ગરબાનો ક્રેઝ હંમેશાં અદભુત રહ્યો છે, ત્યારે આ વખતે દરરોજ સાંજે સ્થાનિક કલાકારો અને મ્યુઝિક ગ્રૂપ સ્ટેજ પર આવીને શ્રદ્ધાળુઓને પોતાના તાલ પર ઝૂમાવશે. ઉત્સવની ભવ્ય શરુઆતસોમવાર, ૧૪ સપ્ટેમ્બરના રોજ ઋષિ પુરોહિત એન્ડ ગ્રૂપના ધમાકેદાર ગરબા પરફોર્મન્સથી થશે

      ગરબા કલાકારોની યાદી (Garba Artists List)

      • સોમવાર, ૧૪ સપ્ટેમ્બર: ઋષિ પુરોહિત એન્ડ ગ્રૂપ (Rushi Purohit & Group)
      • મંગળવાર, ૧૫ સપ્ટેમ્બર: યશા પટેલ એન્ડ ગ્રૂપ (Yesha Patel & Group)
      • બુધવાર, ૧૬ સપ્ટેમ્બર: હરીતા દેસાઈ એન્ડ ગ્રૂપ (Harita Desai & Group)
      • ગુરુવાર, ૧૭ સપ્ટેમ્બર: સુનિલ પટેલ એન્ડ ગ્રૂપ (Suniel Patel & Group)
      • શુક્રવાર, ૧૮ સપ્ટેમ્બર: સચિન જોશી એન્ડ ગ્રૂપ (Sachin Joshi & Group)
      • શનિવાર, ૧૯ સપ્ટેમ્બર: પ્રમેશ નાન્દી એન્ડ ગ્રૂપ (Pramesh Nandi & Group)

      દરરોજ નવા આર્ટિસ્ટ અને બેન્ડ દ્વારા રજૂ થનારા આ ગરબાથી સ્થાનિક ટેલેન્ટને મોટું પ્લેટફોર્મ મળશે અને કમ્યુનિટીને એકસાથે ભેગા થઈને એકતા ઉજવવાની સુંદર તક મળશે.

      ‘ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન’ સાથે વાતચીત કરતી વખતે, આયોજક સમિતિના સક્રિય સભ્ય શ્રી નવલ બજાજે આગામી ઉત્સવ અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને સમગ્ર ઇન્ડો-કેનેડિયન સમુદાયને આ ભવ્ય ઉજવણીમાં જોડાવા માટે ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું હતું. શ્રી નવલ બજાજે જણાવ્યું હતું કે આયોજકો આ છ દિવસીય ગણેશ મહોત્સવ અને ગરબાની છ મનોરંજક રાતોમાં ભાગ લેવા માટે બ્રૅમ્પટન અને આસપાસના પરિવારો તેમજ કમ્યુનિટીના સભ્યોનું હિન્દુ સભા મંદિર ખાતે સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

        તેમણે બ્રૅમ્પટન અને સમગ્ર જીટીએ (GTA) વિસ્તારના લોકોને મંદિરે એકઠા થઈને એક કમ્યુનિટી તરીકે આ ઉજવણીનો આનંદ માણવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી નવલ બજાજના જણાવ્યા અનુસાર, આ મહોત્સવ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત નથી; પરંતુ તે દરેક પેઢીના લોકો સાથે ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ, આસ્થા અને કમ્યુનિટી સ્પીરિટને ઉજવવાની અને વહેંચવાની એક શ્રેષ્ઠ તક છે.

        શ્રી નવલ બજાજે આયોજિત ઉત્સવના વ્યાપને બ્રૅમ્પટન માટે કંઈક ખાસ ગણાવતા કહ્યું કે આયોજક ટીમ શહેરના ઇતિહાસમાં પોતાની જાતનો એક અલગ જ અને યાદગાર ગણેશ મહોત્સવ રજૂ કરવા માટે અત્યંત ઉત્સાહિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમગ્ર કમ્યુનિટીનું આ ઉજવણીમાં હાર્દિક સ્વાગત છે અને તેઓ ભક્તિ, ગરબા, સંગીત અને કલ્ચરલ એક્ટિવિટીઝથી સભર આ છ સાંજનો ઉત્સાહપૂર્વક અનુભવ કરે.

        મંદિર સમિતિ અને ઓર્ગેનાઇઝર્સ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આ ગણેશ મહોત્સવ માત્ર ગરબા પૂરતો મર્યાદિત નથી, પરંતુ અહીં સમગ્ર પરિવાર માટે કંઈક ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં બાળકો માટે ખાસ કિડ્સ એક્ટિવિટીઝ, વિવિધ કલ્ચરલ શો અને મ્યુઝિકલ પરફોર્મન્સ યોજાશે, જેથી નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ ઉત્સવનો આનંદ માણી શકે. આ ઉપરાંત, તહેવાર જેવા વાતાવરણને વધુ રંગીન બનાવવા માટે સેંકડો કમ્યુનિટી વેન્ડર સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવશે, જ્યાં ખાણીપીણી, શોપિંગ અને કલ્ચરલ વસ્તુઓની વિવિધતા જોવા મળશે. કેનેડામાં ઉછરેલી નવી પેઢીને પોતાના આધ્યાત્મિક અને કલ્ચરલ હેરિટેજ સાથે જોડવા માટે આવા મોટા સ્કેલ પર આયોજિત ફેસ્ટિવલ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિઘ્નહર્તા, બુદ્ધિ અને સમૃદ્ધિના દેવ ભગવાન ગણેશજીની આરાધનાનો આ પર્વ બ્રૅમ્પટનના હિન્દુ સભા મંદિર ખાતે ભક્તિ અને સમુદાયની એકતાનું પ્રતીક બનશે.

          આ છ દિવસના ભવ્ય ગણેશ મહોત્સવ બાદ, ધાર્મિક વિધિઓ અને વિસર્જન પરંપરા મુજબ ૩૦ સપ્ટેમ્બરના રોજ લેક ઓન્ટેરિયો ખાતે ગણપતિ વિસર્જન યોજાશે. શ્રદ્ધાળુઓ અત્યંત ભાવુક હૃદયે, ભક્તિભાવપૂર્વક પ્રાર્થનાઓ સાથે અને ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ’ના નાદ સાથે બાપ્પાને વિદાય આપશે. બ્રૅમ્પટનમાં વસતા ડાયવર્સ ઇન્ડો-કેનેડિયન સમુદાય માટે આ ફેસ્ટિવલ કેલેન્ડરનો સૌથી મોટો અને યાદગાર પ્રસંગ બની રહેશે. જો તમે પણ આ છ દિવસીય મહાઉત્સવમાં સામેલ થવા માંગતા હોવ, તો ૧૪ થી ૧૯ સપ્ટેમ્બર, દરરોજ સાંજે ૬ થી ૧૧ વાગ્યાનો સમય નોંધી લેવા ‘ધ્વનિ ન્યૂઝ’ આપને અનુરોધ કરે છે. વધુ માહિતી માટે સમુદાયના સભ્યો info@hindusabhatemple.com પર મંદિર સત્તાવાળાઓનો સંપર્ક કરી શકે છે.

          Share with friends

          What do you feel about this?

          Leave a Reply

          Your email address will not be published. Required fields are marked *

          You may have missed

          Total
          0
          Share