CAA ભારતનો આંતરિક મામલો, અમેરિકા વચ્ચે ન પડે: ભારત

ભારતના વિદેશ મંત્રાલયએ અમેરિકાને રોકડું પરખાવ્યું છે. અમેરિકાની વૃત્તિ હંમેશા જગત જમાદાર થવાની રહી છે. આખી દુનિયાના ભા થવા નીકળેલા અમેરિકાને ભારતે રોકડું પરખાવી દીધું છે. વાસ્તવમાં CAA મુદ્દે અમેરિકાએ ટીપ્પણી કરતા ભારતે તેનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો અને ઝાટકણી કાઢી હતી. ભારતે સ્પષ્ટ શબ્દોમાં પોતાનો સંદેશ આપતા કહ્યું હતું કે, અમેરિકાની ટિપ્પણી અયોગ્ય અને ખોટી છે અને આ કાયદો ભારતનો આંતરિક મામલો છે. તેના અમલીકરણથી લોકોને નાગરિકતા મળશે, કોઈની નાગરિકતા છીનવાશે નહીં. ભારતના ભાગીદારો અને શુભેચ્છકોએ આ હેતુને આવકારવો જોઈએ.

ભારતમાં CAA લાગુ થયા પછી, ઘણા આંતરરાષ્ટ્રીય દેશો અને સંસ્થાઓએ તેના પર ટિપ્પણી કરી છે. અમેરિકાએ નાગરિકતા સંશોધન કાયદા પર કહ્યું છે કે તે તેના પર ખાસ નજર રાખી રહ્યું છે. અમેરિકાના આ નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે તેમને જવાબ આપ્યો છે. MEAએ કહ્યું કે ‘CAA કાયદો એ ભારતનો આંતરિક મામલો છે, તે માનવાધિકાર પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. CAA દ્વારા લોકોને નાગરિકતા મળશે, કોઈની નાગરિકતા છીનવાશે નહીં.

અમેરિકા પર આકરા પ્રહારો કરતા ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મામલે અમેરિકા અથવા અન્ય દેશોનું નિવેદન બિનજરૂરી છે અને તથ્યો પર આધારિત નથી. ભારતમાં તમામ ધર્મના લોકો માટે બંધારણીય અધિકારો અસ્તિત્વમાં છે. જેમને ભારતની પરંપરાઓ અને પ્રદેશના વિભાજન પછીના ઈતિહાસની જાણ નથી તેમણે ભાષણ આપવું જોઈએ નહીં. ભારતના ભાગીદારો અને શુભેચ્છકોએ આ હેતુને આવકારવો જોઈએ.

પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, MEAએ કહ્યું કે નાગરિકતા સંશોધન અધિનિયમ, 2019 એ ભારતની આંતરિક બાબત છે, જે ભારતની પરંપરાઓ અને માનવ અધિકારો પ્રત્યે તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. આ કાયદા હેઠળ, ભારત તેના પડોશી દેશો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના અત્યાચારિત લઘુમતીઓને આશ્રય આપશે. CAA હેઠળ, ભારત હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના લઘુમતીઓને આશ્રય આપશે.

ભારતીય મંત્રાલયે કહ્યું કે CAA નાગરિકતા આપવા વિશે છે, નાગરિકતા છીનવી લેવા વિશે નથી. તેમણે કહ્યું કે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ઘણા આંતરરાષ્ટ્રીય દેશોએ CAAના અમલીકરણ પર ટિપ્પણી કરી છે જે ખોટી માહિતી અને અયોગ્ય છે. ભારતનું બંધારણ તેના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી આપે છે.

MEAએ કહ્યું કે પાડોશી દેશમાં લઘુમતીઓ પર કોઈપણ પ્રકારના દમન પર ચિંતા વ્યક્ત કરવામાં કોઈ ખોટું હોઈ શકે નહીં. મતબેંકની રાજનીતિને તકલીફમાં રહેલા લોકોની મદદ સામે તોલવી ન જોઈએ.

#America #India #india-say-don’t-Interfere #CAA #India-Internal-Matter #indian-External-Affairs-Ministry

Share with friends

Next Post

ભારતીય ફૂટબોલના ગોલ્ડન યુગની સ્ટોરી, ‘મેદાન’નું ટ્રેલર રીલીઝ થયું

Sat Mar 16 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 લોકો ઘણા સમયથી અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ હવે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. ગયા વર્ષે જ્યારથી ‘મેદાન’નું ટીઝર બહાર આવ્યું છે, ત્યારથી લોકો તેને થિયેટરોમાં જોવા માટે ઉત્સાહિત છે. પરંતુ ફિલ્મ સતત આગળ ધપી રહી […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter

Editor in Chief

Ethan Hunt

Default Mag Pro is a clean, responsive and multi-layout WordPress Magazine or blog theme with a creative and clean look it is perfect for all newspaper, magazines and blog websites. It comes up with a simple yet elegant look and helps you present your content in an attractive and user-friendly way. With its several customization options and custom, widgets help to makes your site setup easy and looks perfect along with its cross-browser compatibility will make your site attractive and eye-catching in any browser and different variations of devices screen size on each and every device. The theme is SEO friendly with optimized code and outstanding support makes your site awesome.

Quick Jump

Newsletter

Total
0
Share