એલોન મસ્કની કેનેડિયન નાગરિકતા રદ કરવા માટેની પિટિશન ને વધી રહેલું સમર્થન

    ઓટાવા: વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ એલોન મસ્કની કેનેડિયન નાગરિકતા રદ કરવાની માંગણી કરતી સંસદીય અરજી દેશભરમાં જોર પકડી રહી છે. શનિવાર સુધીમાં, 34,000 થી વધુ નાગરિકોએ આ અરજી પર સહી કરી હતી, જે રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.

    બ્રિટિશ કોલંબિયાના નાનાઈમોની લેખિકા ક્વાલિયા રીડ દ્વારા આરંભ કરાયેલી આ અરજી દાવો કરે છે કે મસ્કના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઘનિષ્ઠ સંબંધો કેનેડાની સંપ્રભુતાને ખતરો ઉભો કરી શકે છે. ખાસ કરીને, ટ્રમ્પે કેનેડિયન ઉત્પાદનો પર ભારે ટેરિફ લગાવવાની ધમકી ઉછરી છે અને કેનેડાને 51મું અમેરિકન રાજ્ય બનાવવા અંગે ખુલ્લેઆમ બોલી રહ્યા છે જેનાથી દેશભરમાં ભારે નારાજગી પ્રસરી છે.

      નવા લોકશાહી પાર્ટીના સાંસદ ચાર્લી એંગસ, જેઓ મસ્કના પ્રબળ વિવેચક છે, તેઓએ આ અરજીને હાઉસ ઑફ કોમન્સમાં સમર્થન આપ્યું છે. આ અરજી વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોને અપીલ કરી છે કે મસ્કની કેનેડિયન નાગરિકતા અને પાસપોર્ટ રદ કરાય, કારણ કે તેમણે કેનેડાના રાષ્ટ્રીય હિતો વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગ ભજવી રહ્યા છે.

      મસ્ક, મૂળ દક્ષિણ આફ્રિકાના વતની છે, તેમના રેજિનામાં જન્મેલા માતાના કારણે કેનેડિયન નાગરિક બન્યા છે. એક અબજોપતિ ઉદ્યોગપતિ અને વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં પ્રભાવશાળી વ્યક્તિ તરીકે, તેમના ટ્રમ્પ સાથેના સંબંધો અને રાજકીય દખલઅંદાજી કેનેડિયન નાગરિકોમાં ભારે ચિંતાને જન્મ આપી રહી છે.

      પાર્લામેન્ટમાં રજૂ કરવા માટે અને સરકાર પાસેથી ઔપચારિક પ્રતિક્રિયા મેળવવા માટે ઇલેક્ટ્રોનિક અરજીમાં ઓછામાં ઓછા 500 સહી આવશ્યક હોય છે. હજીયે, ઝડપથી વધતા સમર્થનને જોતા, આ અરજી આગામી અઠવાડિયાઓમાં કેનેડાના રાજકીય પરિસ્થિતિ પર નોંધપાત્ર અસર પાડી શકે છે.

      હાઉસ ઑફ કોમન્સ 24 માર્ચે પુનઃપ્રારંભ થશે, પરંતુ સંભવિત સામાન્ય ચૂંટણીની અટકળો વચ્ચે, આ મુદ્દો સંસદીય ચર્ચામાં ઉઠશે કે નહીં તે અસ્પષ્ટ છે. જો ચૂંટણી જાહેર થાય, તો આ મામલો ચૂંટણીની મહત્વપૂર્ણ મુદ્દા તરીકે ઉભરી શકે છે.

        Next Post

        મહાશિવરાત્રિ નું મહત્ત્વ

        Tue Feb 25 , 2025
        Total 0 Shares 0 0 0 0 0 0 ટોરોન્ટો : શાસ્ત્રીજી શ્રી દીપકભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ, ટોરોન્ટોમાં મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫, મંગળવારે સ્થાનિક સમય અનુસાર ઉજવવામાં આવશે જયારે ભારતમાં મહાશિવરાત્રિ નું પર્વ ૨૬ જાન્યુઆરી ૨૦૨૫, બુધવારે ઉજવાશે, જ્યારે પૂજન ૨૫મી તારીખે અને ૨6મી બંને દિવસે અમુક વિધિઓ […]

        આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

        સમાચાર હાઇલાઇટ્સ

        Subscribe Our Newsletter

        Total
        0
        Share